૧) તાંજોરનું બૃહદેશ્વર મંદિરઃ
દસ સદીઓથી અડીખમ ઊભેલી ઇજનેરી અજાયબી
મંદિરોના સ્થાપત્યનું આગવું વાસ્તુશાસ્ત્ર છે. આસ્તિકતાને કે પછી શ્રદ્ધાને અંગત વિષય માનીને કોરાણે રાખીએ તો પણ સ્થાપત્યકળાની રીતે કેટલાય મંદિરોની રચનાને માણવા જેવી હોય છે. ખાસ કરીને દક્ષિણ ભારતનાં ઘણાં પ્રાચીન મંદિરો કાળના પ્રવાહો ઝીલતા રહીને હજી અડીખમ રહી શક્યાં છે. જેમ કે, તામિલ નાડુના તાંજોરનું બૃહદેશ્વર મંદિર.
આ તામિલનાડુ નું બૃહદેશ્વર મંદિર છે. પાયા માટે જમીનમાં ઉંડો ખાડો ખોધ્યા વગરનું મંદિર છે. આના નિર્માણ માં પત્થરો વચ્ચે કોઈ સિમેન્ટ, પ્લાસ્ટર કે કોઈ પણ જાતના ચોંટાડવાના પદાર્થ નો ઉપયોગ નથી કર્યો. છતાં પણ છેલ્લા ૧૦૦૦ વર્ષમાં ૬ અતિ મોટા ભુંકપના આંચકાઓ સહન કરીને પણ પોતાના મૂળ સ્વરૂપમાં ઉભું છે.
૨૧૬ ફુટ ઉંચુ આ મંદિર એ સમયનું દુનિયામાં સૌથી ઉંચું મંદિર હતું. આના નિર્માણ પછી લગભગ ૧૫૨ વર્ષ પછી {૧૧૭૨ માં } પિઝાનો ઢળતો મિનારો ખરાબ એન્જિનિયરિંગ ને કારણે ઝુકી રહ્યો હતો પરંતુ બૃહદેશ્વર મંદિર તેના કરતાં વધારે પ્રાચીન હોવા છતાં પણ પોતાની ધરી પરથી એક ઈંચ { ધરતીકંપ ના આંચકાઓ વેઠયા પછી } પણ ઝૂક્યું નથી.
આ મંદિરના નિર્માણ માટે ૧.૩ લાખ ટન ગ્રેનાઈટ નો ઉપયોગ કર્યો હતો જે ૬૦ કિલોમીટર દૂર થી ૩૦૦૦ હાથીઓ દ્વારા લાવવામાં આવ્યા હતા. મંદિરના ટાવરની ટોચ પરના ગુંબજનુ વજન ૮૧ ટન છે. આજના સમયમાં ૮૧ ટન વજનનો પત્થર ઉઠાવવા માટે આધુનિક મશીનો માટે પણ ખુબ જ દાદ માંગી લે તેવું કામ કહેવાય.
બૃહદેશ્વર મંદિર ના નિર્માણ માટે કરેલી ટેકનીક એન્જિનિયરિંગ સ્તરે દુનિયાની સાત અજાયબીઓ માંથી કોઈ પણ અજાયબી ની નિર્માણ ટેકનીક મુકાબલો કરી શકે તેમ નથી.
ઇ.સ. ૧૦૦૪ના ગાળામાં આ મંદિરનું બાંધકામ શરુ થયું હતું. ચોલા શાસકોએ આ મંદિરનું નામ રાજરાજેશ્વર રાખ્યું, પરંતુ મરાઠા શાસકોએ જેણે તાંજોર ઉપર હુમલો કર્યો તેને બૃહદેશ્વર નામ અપાયું. વર્ષ 2010 માં, તેના બાંધકામના એક હજાર વર્ષ પૂર્ણ થયાં. રિઝર્વ બેંકે 01 એપ્રિલ 1954 ના રોજ એક હજાર રૂપિયાની નોટ જારી કરી હતી. જેના પર બૃહદેશ્વર મંદિરનું ભવ્ય ચિત્ર છે. બૃહદેશ્વર મંદિર, પેરુવડાયાર કોવિલ, તંજાઇ પેરિયા કોવિલ, રાજરાજેશ્વરમ અને રાજરાજેશ્વર મંદિર તરીકે પણ ઓળખાય છે.
ચોલો વંશે ૨૧૦૦ વર્ષ રાજ કર્યુ.
ચાલુક્ય વંશે ૭૦૦ વર્ષ રાજ કર્યુ.
અહોમ રાજવંશે ૭૦૦ વર્ષ રાજ કર્યુ.
પલ્લવો એ ૫૦૦ વર્ષ રાજ કર્યુ.
રાષ્ટ્રકુટ વંશે ૫૦૦ વર્ષ રાજ કર્યુ.
મોગલ વંશે ૨૦૦ વર્ષ રાજ કર્યુ.
છતાં પણ આપણા પાઠયપુસ્તકો માં આલીશાન મંદિરો અને તેને બનાવવા વાળા મહાન શાસકોને કોઈ ઉલ્લેખ નથી. જયારે ૪૦ હજાર મંદિરો તોડવા વાળી મુગલ સલ્તનત ને મહાન દર્શાવવામાં કોઈ કમી નથી રાખી.
આપણું પાટનગર દિલ્હી જે એક સમયે ઈન્દ્રપ્રસ્થ ના નામે ઓળખાતું હતુ અને પાંડવોની રાજધાની હતી. તેમના પૂર્વજોએ કેટલીયે વાર તેને બચાવી અને જીર્ણોદ્ધાર કરાવ્યો. શું તમે કોઈ સડક, ભવન કે ઈમારત જોઈ યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, સહદેવ કે નકુલ નામ પર....?? જયારે મુગલો ના નામ પર તો અનેક રોડ રસ્તાઓ અને ભવનો આવે.
‘ચોલવંશના’ રાજવીનું અદ્રભૂત બાંધકામ એટલે "તમિલનાડુ" નું “બૃદેશ્વર મંદિર”,, બૃહદ એટલે મોટા એટલે કે ‘દેવોના દેવ મહાદેવ’ નું મંદિર,,
આ મંદિરનું બાંધકામ "દ્રવિડ" શૈલીમાં થયું છે,,
આ મંદિર ને 13 ‘ગોપુરમ’ છે એટલે પ્રવેશદ્વાર,,
આ મંદિરની લંબાઈ 500 મીટર ફૂટ લંબાઈ 250 ફૂટ પહોળાઇ 200 મીટર ઊંચું છે,,
આ મંદિરનું બાંધકામ એવું છે "જેનો પડછાયો ધરતી પર ક્યારેય પડતો નથી"...
આ મંદિરનો નિર્માતા ‘રાજ રાજેશ્વર ચોલ’ હોવાથી મંદિરને "રાજ રાજેશ્વર મંદિર" પણ કહેવામાં આવે છે,,,
આ મંદિરની દીવાલો પર ભારતના ‘મહાકાવ્યના’ ચિત્રો દોરવામાં આવેલ છે,,,
પ્રાચીન ભારતનું સૌથી મોટું મંદિર આ છે...
૨) નટરાજના કોસ્મિક ડાન્સમાં છુપાયેલું વીજ્ઞાન
ભારતીયો શિવને લિંગ (પેરાબોલિક સેક્રેડ સ્ટોન)ના રૂપમાં પૂજે છે અને તેમને નટરાજ (નૃત્ય કરતા શિવ)ના રૂપમાં પૂજે છે, જે કલાના સમગ્ર ક્ષેત્રના દૈવી અવતાર તરીકે છે.
નટરાજની મૂર્તિ વિશ્વભરના તમામ ઘરોમાં, ભારતીય અને પશ્ચિમી ઘરોમાં સર્વવ્યાપક હાજરી ધરાવે છે.
શિવના આ ડાન્સિંગ પોઝ પાછળ એક કોસ્મિક સિક્રેટ છુપાયેલું લાગે છે. આ શબ્દો કોઈ સામાન્ય વ્યક્તિએ નહીં, પરંતુ ન્યુક્લિયર ફિઝિક્સના વિશ્વ વિખ્યાત પ્રોફેસર ફ્રિટજોફ કેપરાએ કહ્યા છે. તેમણે તેમના લોકપ્રિય પુસ્તક "ધ તાઓ ઑફ ફિઝિક્સ"માં નટરાજના કોસ્મિક નૃત્ય પાછળની ફિલસૂફી સમજાવી હતી.
ભૌતિકશાસ્ત્રના આધુનિક વૈજ્ઞાનિકો માટે, શિવનું નૃત્ય એટોમિક કણોના નૃત્ય તરીકે દેખાય છે. વિશ્વ વિશેનો પ્રાચીન ભારતીય પરિપ્રેક્ષ્ય એ સૃષ્ટિ, નિર્વાહ અને વિસર્જનના શાશ્વત કોસ્મિક નૃત્ય સિવાય બીજું કંઈ નથી જે એક લયમાં થાય છે. આ દરેક વસ્તુનું મૂળ કારણ છે.
ભૌતિકશાસ્ત્રના ક્વોન્ટમ સિદ્ધાંત મુજબ, સર્જન એટોમિક કણોથી ભરેલું છે. દરેક કણમાં પ્રચંડ ઉર્જા સુપ્ત હોય છે. આ કણો પ્રકૃતિમાં ખૂબ જ ગતિશીલ હોય છે અને વિભાજિત માઇક્રો સેકન્ડોમાં તેમનું સ્વરૂપ બદલી નાખે છે.
સબ-ઓટોમિક કણો દ્વિ પ્રકૃતિ ધરાવે છે, કેટલીક વખત તેઓ કણો તરીકે દેખાય છે ક્યારેક તેઓ ઊર્જાના સતત પ્રવાહ બની જાય છે. તેઓ ઘણીવાર તરંગથી કણમાં બદલાય છે અને લયમાં ઊલટું બદલાય છે અને કાયમ માટે તેમનું અસ્તિત્વ ગુમાવે છે.
પદાર્થ કણોના સમૂહ સિવાય બીજું કંઈ નથી. કણો તેની અંદર સંરચિત લયમાં ફરે છે. તેના કારણે, સ્વરૂપો બને છે, સ્વરૂપો ઓગળી જાય છે, સ્વરૂપો વધે છે અને સતત રીતે ક્ષીણ થાય છે. જીવનમાં દરેક પરિવર્તન કે ચાલમાં એક લય હોય છે, આ સૂક્ષ્મ પરિવર્તનમાં સુંદરતા અને સુમેળ હોય છે. તે કોસ્મિક જીવનનું નૃત્ય છે, સ્વરૂપો દેખાય છે, અદૃશ્ય થઈ જાય છે અને રીપર કરે છે; લઘુતમ કણથી લઈને એક વિશાળ તારા સુધી બધા બદલાઈ રહ્યા છે અને પ્રવાહમાં છે; જીવનના કોસ્મિક શ્વાસની સિમ્ફની પર નૃત્ય; કોસ્મિક લયની ધૂન પર નૃત્ય;
ફ્રિટજોફ કેપ્રા શિવના કોસ્મિક નૃત્યને સર્જનના રહસ્ય તરીકે જોઈ શકે છે. તેણે નટરાજના નૃત્યનું ત્રણ પાસાઓમાં અર્થઘટન કર્યું.
1.શિવની આસપાસની ગતિશીલ કમાન સતત બદલાતી કોસ્મિક લયનું પ્રતિનિધિત્વ કરે છે.
2. શિવના નૃત્યનું કારણ બ્રહ્માંડ ચક્રમાંથી આત્માની મુક્તિ છે.
3. શિવના નૃત્યનું મંચ “ચિદમ્બરમ” પવિત્ર જગ્યા વ્યક્તિના પોતાના હૃદયમાં છે. આ “હૃદય આકાશ” દ્વારા શિવના કોસ્મિક નૃત્ય સાથે તાલમેલ મેળવવો પડશે.
શિવના નૃત્યની ફિલસૂફી એ વિજ્ઞાન, કળા અને ધર્મનું સંગમ છે, જે બ્રહ્માંડ ઉપર છુપાયેલું જ્ઞાન છે.
No comments:
Post a Comment